પાલીતાણામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો
આજે પાલીતાણાના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ પત્રકાર એકતા પરિષદના સ્થાપક વરિષ્ઠ પત્રકાર સલીમભાઈ બાવાણી કોરોનાના પ્રથમ તબક્કામાં વિદાઈ લીધાને બે વર્ષ પૂર્ણ થાય છે
જેને લયને સંગઠનના સ્થાપકને સાચી શ્રધ્ધાંજલિ આપવા એમનું અધૂરું કાર્ય લાભુભાઈના નેતૃત્વમાં પૂર્ણ થયું છે ગુજરાતમાં ૩૩ જિલ્લાને ૨૫૨ તાલુકાની કારોબારી સાથે પત્રકારોનું સંગઠન પૂર્ણ થયું છે
સલીમભાઈ બાવાણીએ આપણી વચ્ચેથી વિદાય લીધી તેના માનમાં દરેક તાલુકા મથકે વૃક્ષારોપણ પત્રકારો દ્વારા કરી એમના આત્માને સાચી શાંતિને શ્રધ્ધાંજલિ આપવા પ્રયાસ કર્યો છેઆ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગીરવાનસિહ સરવૈયા પ્રદેશ મહામંત્રી આર બી રાઠોડ. લીગલ એડવાઈઝર જયદીપસિંહ ગોહિલ . જિલ્લા મહામંત્રી પ્રતાપભાઈ ગોહિલ. પાલીતાણા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ બાબુભાઈ વાઘેલા. વિજયભાઈ જાદવ. સબીરભાઈ દાતારી. અબ્બાસભાઈ વોરા. નિકુલસિંહ સરવૈયા. અબ્બાસભાઈ લક્ષ્મીધર. કાળુભાઈ પઠાણ. આરીફભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં પાલીતાણાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા