Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

થાનગઢ શહેરમાં તથા થાનગઢના ગ્રામ્યવિસ્તારમાં લમ્પી રસી આપવામાં આવી

શ્રી થાનગઢ પાંજરાપોળ

જીવયા ગ્રુપ – થાનગઢ દ્રારા

થાનગઢ શહેરમાં તથા થાનગઢના ગ્રામ્યવિસ્તારમાં લમ્પી રસી આપવામાં આવી. જેમાં થાનગઢ શહેરમાં જય અંબે સોસાયટી, નળિયાનાં કારખાના વિસ્તારમાં ફાટક પાસે, પીપડાના ચોકમાં, બસ સ્ટેન્ડ પાસે વિરાટનગર, ફુલવાડીમાં, મળ્યાપરા ૧૧ નંબર પાસે, મોટી ખોડીયાર મંદિર પાસે ટોટલ ૮૫૦ ગાય તથા રખડતાં ખુદને લમ્પીની રસી જીવદયા ગ્રુપ દ્વારા આપવામાં આવી તેમજ પાંજરાપોળના ટોટલ અબોલ પશુઓને પણ આપેલ છે.

જીવદયા ગ્રુપ દ્રારા થાનગઢ શહેરમાં તથા થાનગઢ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ ૮૫૦ જેટલા પશુને લમ્પી રોગની રસી આપવામાં આવી.

રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ

Related posts

છેલ્લા ચાર વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને કચ્છના રાપર ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ-ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ધ્રોલ.પો.સ્ટે પાર્ટ સી નં (૧) ૦૨૫/૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી) ૯૮(૨) તથા (૨) ૦૨૬૮૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી)૯૮ (૨) વિગેરે ગુન્હામા નાસતો-ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ જાતે,કોળી રહે.સાઈ ગામ તા.રાપર જી,કચ્છ વાળો ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ નાસતો-ફરતો રહેલ હતો, જે આરોપી ને બાતમી આધારે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સાંઈ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે

જામનગર શહેર માંથી ગાંજાના ૪૧ કીલોના જંગી જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગરની વિવિધ શાળા કોલેજોના વિધ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના કર્મચારીઓએ વેબીનારમાં ભાગ લીધો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા “નશામુક્ત ભારત અભિયાન” શરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓ ને પસંદ કરવામાં આવ્યા છે તથા રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़