Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

ખાનપુર ગ્રામ પંચાયત તરફથી 76 માં સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ…

હાલ સમગ્ર ભારત દેશમાં “હર ઘર તિરંગા અભિયાન ” થકી દરેક ઘર, દુકાનો, હોસ્પિટલો , કચેરીઓ વગેરે જેવી જગ્યાઓ ઉપર તિરંગો લહેરાવી “આપણો તિરંગો આપણું ગૌરવ” સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે ત્યારે ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ, તથા ઉપ સરપંચ, તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો તરફથી 76 માં સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે …

15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજો નું શાસન હતું જે અનેક વિર બલીદાનીઓના બલીદાન થી ઇ.સ 1947 ની 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશ અગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો તે દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે

આ દિવસે એક મોટા દેશ તરીકે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો. ભારત ને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીજીએ અહિસંક સત્યાગ્રહ ની લડત કરી હતી તેમજ
જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલગંગાધર તીલક, ભગતસિંહ સુખદેવ રાજગુરુ, ચંદ્ર શેખર આઝાદ, મૌલાના આઝાદ જેવા અનેક વીરોએ પોતાનુ જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દિધું હતું

સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે109 વર્ષ ના શાસન પછી વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને સ્વ હસ્તે બ્રિટિશ ઉનીયન જેક ઉતારી ને લાલ કિલ્લા ના કાંગરે તિરંગો લહેરાવ્યો ત્યારે પ્રત્યેક ભારતીય વાસીઓની આંખો માં હર્ષના આસું હતાં

Related posts

જામનગર ગોકુલનગર ખાતે આગનું છમકલું, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે, ૬૦ હજારનું નુક્શાન

જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દ્વારા ડી. આઇ. પાઇપલાઇન ફીટીંગ કામગીરીનું નિરીક્ષણ કરાયું

Gujarat Darshan Samachar

વાંકાનેરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય મંત્રી, વિધાયક, સાંસદની હજરીમાં કાયદો અને વ્યવસ્થાની ધજીયા ઉડી…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़