જામનગરમાં મધરાતે દીપક ટોકીઝ નજીક સામન્ય બોલાચાલીમાં વાતાવરણ બગડે ધનબાઈ ડેલા નજીક ચારણફળીમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ રાઠોડ નામના ખવાસ યુવાનો પર આરબફળીના શખ્સો જીવલેણ હુમલો
ચારણફળીમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ રાઠોડ તેના પત્ની દિપાબેન ભાવેશ રાઠોડ અને સાળો અર્જુનભાઇ ચૌહાણ અંબર ચોકડી પાસેથી ઠંડુપીને પોતાના ઘરે પરત આવતા હોય ત્યારે રાત્રિના સમયે દીપક ટોકીઝ પાસે ભાવેશનો મીત્ર રવી પરમાર સાથે સામન્ય બોલાચાલી કરતો હતો બાદમાં સામેપક્ષે ઉશ્કેરાય જતાં ભાવેશ રાઠોડ છોડાવવા માટે વચ્ચે પડતા ઝગડો શાંત પાડવાના પ્રયાસ કરેલ પરંતુ તેમની સાથે ઉધતાઈ ભર્યું વર્તન કર્યું અને ઉશ્કેરાય ને શાહનવાઝ નામના શખ્સે પોતાની પાસે રાખેલ છરી કાઢી ભાવેશને ગાળાના ભાગમાં છરીના ઘા મારી દેતા ભાગદોડ મચી જવા પામી હતી ત્યાર બાદ સામાપક્ષે એકસંપ થઇ ઢીકા પાટુનો મુઢ માર મારી કહેવા લાગેલ કે તારે શુ છે ? તુ અહિથી જતો રહે નકર સારાવાટ નહિ રહે તેમ કહી મનફાવે તેવી ગાળો દઈ નાશી ગયા હતા.
જીવલેણ હુમલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા સઘળી હકીક્ત મેળવી હતી સીટી- એ, Pl મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ આરોપી વિરૂદ્ધ IPC કલમ ૩૨૩ , ૩૨૪,૫૦૪ , ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી અને ભાવેશ રાઠોડના સગા-સ્નેહીઓ દોડી આવ્યા હતા તાત્કાલિક સારવાર માટે જી જી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા
યોગેશ ઝાલા – જામનગર