Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સ્વ. કિશોરચંદ્ર અમૃતલાલ શાહ ની પુણ્યતિથી નિમિતે મહારક્તદાન કેમ્પનું આયોજન…

વાંકાનેર: આગામી ૯મી ઓક્ટોમ્બરે કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથિ નિમિતે તેમની સ્મૃતિમાં અમીત કિશોરચંદ્ર શાહ અને તેમના મિત્ર મંડળ અને ગૃપ દ્રારા મહારક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવનાર છે.


જેમાં રક્તદાન કરવા આવનાર રક્તદાતાઓનું હ્રદયના અનેરા ઉમળકાથીકંકુ-તિલક કરી મીઠુંમોઢું કરાવી અનેરૂ સ્વાગતકરવામાં આવશે. તેમજ રક્તદાન માટે હૉલ માં લાઈવ મ્યુઝિક દ્વારા રક્તદાતાઓને સંગીતનું મનોરંજન પણ પીરસવામાં આવશે.

સાથે સાથે આકર્ષક સેલ્ફી પોઈંટમાં સેલફી પડાવી રક્તદાતાની અવિસ્મરણીય યાદી સાથે પડાવેલ તસવીર લઇ જઈ શકશે. તેમજ સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે ચા-કોફી તથા બિસ્કીટ નો નાસ્તો તો ખરો જ. અને રક્તદાતાઓને આકર્ષક અને ઉપયોગી ભેટ સોગાત સાથે અતિઉપયોગી તુલસીના રોપા પણ આપવામાં આવશે. તેમજ કાર્યક્રમની પૂર્ણ હુતિમાં રક્તદાતાઓનો આભારમાની અભિવાદન કરવામાં આવશે.

તો તમામ લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે જોજો આવા અનોખા રક્તદાન કેમ્પમાં આવવાનું ચુકતા નહીં. અને રક્તદાન કરવાનું ભૂલતાનહીં

રક્તદાન કેમ્પનું અયોજન અમીતકુમાર કિશોરચંદ્રશાહ દ્વારા કરવામાં આવેલ છે

Related posts

જામનગર શહેરમાં રહેણાંક ફલેટમાં ચાલતા જુગારના અડ્ડા માંથી રોકડ રકમ, પતા, મોબાઇલ ફોન, મો.સા. મળી કુલ ૩, ૧,૬,૭૯૦ ના મુદામાલ સાથે નવ સ્ત્રી પુરૂષોને પકડી પાડતી જામનગર LCB પોલીસ

છેલ્લા ચાર વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને કચ્છના રાપર ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ-ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ધ્રોલ.પો.સ્ટે પાર્ટ સી નં (૧) ૦૨૫/૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી) ૯૮(૨) તથા (૨) ૦૨૬૮૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી)૯૮ (૨) વિગેરે ગુન્હામા નાસતો-ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ જાતે,કોળી રહે.સાઈ ગામ તા.રાપર જી,કચ્છ વાળો ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ નાસતો-ફરતો રહેલ હતો, જે આરોપી ને બાતમી આધારે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સાંઈ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે

વાંકાનેર ઇદે મિલાદ તેહવાર અનુસંધાને પીઆઈ છાસીયા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़