નગરપાલિકાના વહીવટદાર દ્વારા જીતુભાઈ સોમાણી ગણેશ ઉત્સવ સમિતિ અને નવરાત્રિ મહોત્સવ સમિતિને નોટિસ પાઠવી જાણ કરવામાં આવેલ કે તારીખ ૩/૦૯/૨૦૨ નાં રોજ આવેલ અરજી અન્વયે જણાવેલ કે તા.ર૪/૦૯/૨૦૨૨ ના રોજ નરપાલિકા હસ્તક નું આર એસ એસ શાખાના ગ્રાઉન્ડના ભાડાની રકમ ભરપાઇ કરવા લેખિતમાં જણાવવામા આવેલ છે જે રકમ જીતુભાઈ સોમાણીએ ભરપાઇ કરેલ નથી તેમજ જીતુભાઈ દ્વારા સોસીયલ મિડીયાના માધ્યમથી ખોટા દ્રુષ પ્રચાર કરીને વાંકાનેરની જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છો જેથી વાંકાનેરની શાંતી પ્રિય પ્રજાને ખોટા પ્રચાર કરી અશાંતી નું વાતાવરણ ઉભું કરો છો તેવું માલુમ પડે છે. તેવો લેખિત નોટીસમાં ઉલેખ કરી ખુલાસો કરવામાં અવ્યો છે
વધુમાં જણાવ્યું કે અગાઉ પણ ગણેશ ઉત્સવ માટે સરકારશ્રી ના નિયમ મુજબ જગ્યા ફાળવા માં આવેલ હતી. જે સરકારશ્રી ના નિયમ મુજબ તમોએ ભાડાની રકમ ભરેલ હતી તેમજ બાજુ ની રાજકોટ મહાનગરપાલિકા મા પણ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે 1 ચો.મી દિઠ 6 રૂપિયા લઇ ગ્રાઉન્ડ ભાડે આપવાની કાર્યવાહી કરે છે. તથા અન્ય નગરપાલિકા પણ આ નિયમ મુજબ ભાડુ વસુલ કરીને ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવતા હોવાનો ઉલેખ કરવામાં આવ્યો છે.
વધુમાં જીતુભાઈ સોમાણીને આ ખબર મળ્યે તાત્કાલિક રકમ ભરપાઇ કરી જવા સૂચના આપવામાં આવી છે જો રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો જીતુભાઈ સોમાણી આ ગ્રાઉન્ડ રાખવા માંગતા ન હોય તેમ સમજી માંગણી રદ કરવામાં આવશે. જેની સ્પષ્ટ પણે નોંધ લેવા ચેતવણી આપવામાં આવી છે