Gujarat Darshan Samachar
Gujarat Darshan Samachar News Team

Punjabના પૂર પીડિતો માટે ‘મસીહા’ બન્યો હરભજન સિંહ, કરોડોની મદદ કરવા માટે કરી પહેલ

પંજાબમાં પૂર પીડિતોની મદદ માટે હરભજન સિંહ આગળ આવ્યો છે. તેને બોટથી લઈને એમ્બ્યુલન્સ સુધીની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે. પંજાબમાં હાલ પરિસ્થિતિ સારી નથી.

પંજાબમાં હાલમાં પૂરથી લોકો પરેશાન છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે અને હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે મદદ પૂરી પાડવાની જવાબદારી લીધી છે. તેમને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. હરભજન સિંહ એમ્બ્યુલન્સથી લઈને બોટ સુધી બધું જ પૂરું પાડીને પંજાબના લોકો માટે મસીહા તરીકે સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ પંજાબની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હરભજન સિંહે 11 સ્ટીમર બોટ દાનમાં આપી છે. તેમને સાંસદ ભંડોળમાંથી 8 અને પોતાના ખિસ્સામાંથી 3 બોટ ખરીદી છે. તમને જણાવી દઈએ કે દરેક બોટની કિંમત 4.5 થી 5.5 લાખ રૂપિયા છે. આ સિવાય હરભજન સિંહે પૂર પીડિતોની મદદ માટે ત્રણ એમ્બ્યુલન્સ પણ ખરીદી છે. આનાથી તેઓ જરૂરિયાતમંદોને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી શકે છે.

પંજાબમાં હાલમાં પૂરને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને નદીઓ છલકાઈ રહી છે. આના કારણે ઘણા ગામડાઓ ડૂબી ગયા છે અને શહેરોને પણ પૂરના કારણે ભારે નુકસાન થયું છે. ઘણા લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે અને પૂરના કારણે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ દરમિયાન સરકાર સહિત ઘણી મોટી હસ્તીઓ મદદ માટે આગળ આવી રહી છે.

Related posts

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય તો પણ શું તે ચૂંટણી લડી શકે છે? જાણો શું છે કાયદો

ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીયોને મોટો ફટકો! વિઝા નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે ઇન્ટરવ્યૂ માટે…

gujaratdarshansamachar2018

IND vs PAK Asia Cup 2025: એશિયા કપમાં પાકિસ્તાનનો કેમ બોયકૉટ ના કર્યો? BCCIએ પ્રથમવાર તોડ્યું મૌન

Leave a Comment