Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામપાના કમિશનરના માર્ગદર્શન મુજબ સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી

શ્રાવણી લોકમેળા દરમિયાન હસ્તકલાના વેચાણથી રૂપિયા બે લાખથી વધુની આવક મેળવી બહેનો આત્મનિર્ભર બની

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં માનનીય કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી ની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા યુસીડી વિભાગ ના સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હાથ બનાવટની વિવિધ વસ્તુઓના 10 વેચાણ સ્ટોલ શ્રાવણી લોકમેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હતા.

યુસીડી વિભાગ સંચાલિત સ્વસહાય જૂથના બહેનો દ્વારા આ સ્ટોલમાં હસ્તકલાની પર્સ , સાઈડ પર્સ, કટલેરી ની વસ્તુઓ, સાડી , ડ્રેસ મટીરીયલ ,ચિલ્ડ્રન વેર વિવિધ કોસ્મેટીક અને આયુર્વેદિક પ્રોડક્ટ જેવી વિવિધ હાથ બનાવટની વસ્તુઓ નું શ્રાવણી પર્વ દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં વેચાણ કરવામાં આવ્યું હતું. આ વસ્તુઓના વિવિધ વેચાણ દરમિયાન 15 દિવસમાં સ્વસહાય ના જેમકે દેવાંશી, તેજસ્વી, સ્ટાર બાલાજી, રાધિકા, અમીધારા, શ્રમજીવી,આશાપુરા, રણછોડરાય અને પ્રકૃતિ વિવિધ સ્વસહાયના જૂથ દ્વારા હસ્તકલાની વસ્તુઓના વેચાણ અર્થે આ બહેનોએ ₹ 2,02,000-/ ( બે લાખ બે હજાર) ની રોજગારી પ્રાપ્ત કરી બહેનો આત્મનિર્ભર બની છે .

આ સમગ્ર કામગીરી ને સફળ બનાવવા જમ્યુકોના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની, UCD વિભાગના કંટ્રોલિંગ અધિકારી શ્રી જીગ્નેશભાઈ નિર્મળ, પ્રોજેક્ટ ઓફિસર શ્રી અશોકભાઈ જોષીના માર્ગદર્શન મુજબના તમામ મેનેજરો સમાજ સંગઠકો એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ વેચાણ સ્ટોલની કામગીરીમાં એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મુકેશભાઈ વરણવા , નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નિતીનભાઈ દીક્ષિત તથા એસ્ટેટ વિભાગની ટીમનો સહયોગ મળ્યો હતો.

ઉમેશ માવાણી – જામનગર

Related posts

નગરપાલિકાના વિવાદિત ગ્રાઉન્ડમાં ગણપતિ સ્થાપનાનો વિવાદિત અંત…

Gujarat Darshan Samachar

રાષ્ટ્ર ધ્વજની ગરમીમાં જળવાઈ રહે, તે હેતુથી જામનગર કમિશ્નર વિજય ખરાડી દ્વારા લોકોને જાહેર અપીલ

Gujarat Darshan Samachar

જૂનાગઢનાં વિસાવદરમાં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી સર્વાનુમતે હોદેદારોની નિમણૂક

Leave a Comment

टॉप न्यूज़