Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા રણુજા, કાલાવડના મેળામાં પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોનું વેચાણ તથા સાહિત્ય વિતરણ કરાયું

જામનગર તા.05, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાન હાલ વેગવંતું બનાવવામાં આવ્યુ છે. જેના અનુસંધાને જામનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી.એમ.આગઠના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહેલ છે.જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રણુંજા ખાતે યોજાયેલ મેળામાં આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જનતાને રોગમુક્ત ખેત ઉત્પાદનો મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોના વેચાણ માટે સ્ટોલ ગોઠવેલ છે.

આ પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના સ્ટોલમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવનાર છે. તેમજ જિલ્લાના અને અન્ય ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરાય અને પ્રાકૃતિક કૃષિ કરતાં થાય તે માટે સ્ટોલ પરથી પ્રાકૃતિક કૃષિની બુક અને અન્ય સાહિત્યનુ વિતરણ પણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા આથી આમ જનતાને જણાવવામાં આવે છે.

ઉમેશ માવાણી – જામનગર

Related posts

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલા ફ્લેટમાં આગ ભભુકી ઉઠતા અફડાતફડી ફાયર બ્રિગેડ ધટના સ્થળે

Gujarat Darshan Samachar

તંત્રની ઘોર બેદરકારીના અનેક રજુઆત છતાય આંખ આડા કાન, જર્જરિત મકાન જમીન દોષ થતાં સદ નસીબે જાનહાનિ ટળી

Gujarat Darshan Samachar

નગરપાલિકાના વિવાદિત ગ્રાઉન્ડમાં ગણપતિ સ્થાપનાનો વિવાદિત અંત…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़