Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

જામનગર તા.૧૯ સપ્ટેમ્બર, રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે તમાકુ નિયંત્રણ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પ્રેમકુમાર કન્નર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરાયા હતા તેમજ તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત કાયદાની જાણકારી આપી વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન અપાયુ હતું. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થયેલ બાળકોને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ વ્યસન મુક્તિ અંગેના સપથ લીધા હતા.

 

Related posts

નીતીશ કુમારે ગઠબંધન કર્યા.. રામ રામ

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Gujarat Darshan Samachar

જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું

Leave a Comment

टॉप न्यूज़