જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇનચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, તથા રાકેશભાઇ ચોહાણ નાઓને મળેલ ખાનગી હકિકત આધારે દરેડ ખોડીયાર માતાજી ના મંદિર પાસેથી આરોપી -અજયભાઇ હસુમખગીરી ગૌસ્વામી રહે.દરેડ,પ્રણામી પાર્ક મુળ ગામ નવીપીપળ તા.લાલપુર જી જામનગર નાઓના કબ્જામાંથી પિતળના સર્જાયા ભરેલ ભંગારના ત્રણય બાચકામા રહેલ પિતળ ભંગાર ના સળીયન કિલો-૧૨૦ જે કુલ રૂ. ૪૮,૦૦૦/-નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે પો.હેડ કોન્સ ધાનાભાઇ મોરી નાઓએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચકોષી બી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સેજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા ધાનાભાઇ મોરી અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટર: ઉમેશ માવાણી – જામનગર