જામનગર જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન. ઝાલા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.જલુ સાહેબના માર્ગદર્શન મુજબ જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૮૨૨૧૨૭૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ,૨૯ મુજબા ગુન્હાની તપાસ શ્રી પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા નાઓ ચલાવી રહ્યા હોય અને આ કામે અટક કરેલ આરોપી તનવીરભાઇ ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ વિજડીવાડા જાતે- મુસ્લીમ ખત્રી ઉવ.૩૨ ધંધો- “વીર બ્રાસ કોપ” નો વેપાર રહે. ખોજાગેઇટ રતનબાઇ કન્યા શાળા સામે જામનગર વાળાની દિન-ર ની રીમાન્ડ લઇ રીમાન્ડ દરમ્યાન મજકુર આરોપીની સઘન પુછપરછ કરતા તેના રહેણાંક મકાનેથી વધુ ગેરકાયદેસર દેશી બનાવટની મેજીન સાથેનુ પીસ્ટલ નંગ-૦૧ કિ.રૂ-૨૫૦૦૦/ તથા કાર્ટીસ નંગ-૦૨ કિ.રૂ-૨૦૦/- તથા અન્ય મેજીન નંગ-૦૧ કિ.રૂ-૫૦૦/- મળી કુલ કિ.રૂ-૨૫,૭૦૦/- નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ હથીયાર અંગે વધુ તપાસ તજવીજ ચાલુ છે.
આ કામગીરી પો.ઇન્સ. એમ.જે.જલુ સાહેબ તથા પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા સા. તથા
પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહિપાલસિહ મયુરસિંહ જાડેજા તથા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા પો.કોન્સ શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.
જિગર રાવલ – જામનગર