ગુજરાત સરકાર ના સીનિયર મંત્રી કોળી સેના ના સ્થાપક શ્રી પરષોતમભાઈ સોલંકી ના 64 માં જન્મદિવસની કોળી સેના મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા દ્વારા માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે મહા આરતી કરી, અને બાળકો ને નાસ્તો કરાવી તેમજ ગાય માતા ને લીલો ઘાસચારો ખવડાવી અને બક્ષીપંચ વિસ્તારોમાં જઈ બાળકો ને નાસ્તો કરવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી મંત્રી પરષોતમભાઈ સોલંકી ના પરીવાર સાથે વર્ષો થી રમેશભાઈ મકવાણા ને પરીવાર નો નાતો રહ્યો છે રમેશભાઈ મકવાણા ના દરેક કાર્યો મા સોલંકી પરીવાર વાંકાનેર ખાતે ખાસ હાજર પણ રહે છે ત્યારે પરષોતમભાઈ સોલંકીના જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવિ હતી
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.Ok